X પર સ્વ-હાનિ અને આત્મહત્યાની ચિંતાઓ વિશે શું કરવું જોઈએ

જો તમે અથવા તમારી પરિચિત કોઈ વ્યક્તિ સ્વ-હાનિની પ્રવૃત્તિ કરવા અથવા આત્મહત્યાની વર્તણૂક વિશે વિચારી રહી હોય, તો તમારે શક્ય હોય એટલી વહેલી તકે કટોકટીમાં હસ્તક્ષેપ કરવામાં અને આત્મહત્યા રોકવામાં કુશળતા ધરાવતી સેવાઓનો સંપર્ક કરીને તેમની મદદ માંગવી જોઈએ. જો તમે X પર આ પ્રકારની સામગ્રીનો સામનો કરો છો તો તમે જે સ્વ-હાનિ અથવા આત્મહત્યાની વર્તણૂકમાં સામેલ હોઈ શકે તેવા એકાઉન્ટ્સ સાથે સંકળાયેલા રિપોર્ટ્સને સંભાળવા પર ધ્યાન કેન્દ્રિત કરતી Xની ટીમને ચેતવણી પણ આપી શકો છો.
 

સ્વ-હાનિ અને આત્મહત્યાના જોખમો સાથે સંકળાયેલ સામગ્રી પ્રત્યે Xનો અભિગમ
 

એવી કોઈ વ્યક્તિ અંગે રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ કે જે સ્વ-હાનિ અથવા આત્મહત્યા વિશે વિચાર કરતી હોઈ શકે, X અસરગ્રસ્ત વ્યક્તિનો સંપર્ક કરશે અને તેઓને જણાવશે કે તેમની ચિંતા કરતી કોઈ વ્યક્તિને જાણવા મળ્યું છે કે તેઓને હાનિ થવાનું જોખમ હોઈ શકે છે. અમે તેમને સપોર્ટ મેળવવા માટે પણ પ્રોત્સાહિત કરીશું અને જેનાથી મદદ મળી શકે એવા સમર્પિત ઑનલાઇન અને હોટલાઇન સંસાધનો વિશે માહિતી પ્રદાન કરીશું.
 

સંકેતો પારખવા
 

એકમાત્ર ઑનલાઇન પોસ્ટના આધારે વર્તણૂકની ધારણા બાંધવી એ પડકારજનક છે, પરંતુ કોઈ વ્યક્તિ  સ્વ-હાનિ અથવા આત્મહત્યા વિશે વિચારતી હોઈ શકે તેના સંભવિત ચેતવણીના સંકેતો અથવા સૂચકો હોય છે. કોઈ વ્યક્તિને આત્મહત્યાના વિચારો આવી રહ્યા હોઈ શકે કે કેમ તેની આકારણી કરવામાં મદદ મળે તે માટે તમે પોતાની જાતને નીચે આપેલા પ્રશ્નો પૂછી શકો છો:

  • શું આ વ્યક્તિ વારંવાર હતાશા અથવા નિરાશાની લાગણીઓ વિશેની સામગ્રી પોસ્ટ કરે છે?

  • શું આ વ્યક્તિ મૃત્યુ વિશે અથવા મૃત્યુ જ એકમાત્ર વિકલ્પ છે તેવું અભિવ્યક્ત કરતી લાગણીઓ વિશે ટિપ્પણીઓ પોસ્ટ કરી રહી છે?

  • શું તેઓ ભૂતકાળમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવા વિશેની ટિપ્પણીઓને પોસ્ટ કરી રહ્યા છે?

  • શું તેઓ સ્વ-હાનિનું વર્ણન કરી રહ્યાં અથવા તેના ફોટા પોસ્ટ કરી રહ્યાં છે અથવા પોતાને આત્મઘાતી તરીકે ઓળખાવી રહ્યાં છે?

  • શું તેઓના મૂડમાં અને તેમની પોસ્ટ્સની સામગ્રીમાં તાજેતરમાં ફેરફાર થયો છે?
     

જો તમે ચિંતિત છો અને તેમાં સામેલ વ્યક્તિને ઓળખો છો, તો તેમનો વ્યક્તિગત રીતે  સંપર્ક કરવો અને તેમને મદદ કરી શકતી હોય એવી સમર્પિત સેવાઓ પાસેથી તેમને સલાહ લેવા માટે પ્રોત્સાહિત કરવું મદદરૂપ થઈ શકે છે. બીજી બાજુ, જો તમે સામેલ વ્યક્તિને જાણતા ન હોવ, તો હજીયે તમે ચિંતા વ્યક્ત કરવા માટે તેમનો સંપર્ક કરવાનું અથવા સમર્પિત સંસ્થાઓ, આત્મહત્યા હોટલાઈન કે તેમને વ્યક્તિગત રીતે જાણતી હોઈ શકે તેવી કોઈ વ્યક્તિને તેમનો સંદર્ભ આપવાનું પસંદ કરી શકો છો. જો તમને તમારી જાતે તે વ્યક્તિનો સંપર્ક કરવાનું અનુકૂળ લાગતું ન હોય અથવા તેમનો સંપર્ક કેવી રીતે કરવો તે અંગે નિશ્ચિત ના હોવ, તો તમે Xને અમારા સમર્પિત રિપોર્ટિંગ ફ્લો મારફતે ચેતવી પણ શકો છો.
 

સ્વ-હાનિ અથવા આત્મહત્યાના વિચારોના અનુભવોને મેનેજ કરવું
 

જો તમે સ્વ-હાનિ કરવા અથવા આત્મહત્યાની વર્તણૂક વિશે વિચારી રહ્યા છો, અથવા હતાશા અથવા ચિંતાની લાગણીઓનો અનુભવી રહ્યા છો, તો તમે જેના પર વિશ્વાસ કરતા હો તેવા લોકોની સાથે વાત કરવાથી, અથવા આવા અનુભવોને મેનેજ કરવામાં મદદ માટે સપોર્ટ અને સહાયતા પ્રદાન કરી શકતી સમર્પિત સંસ્થાઓ સાથે જોડાવાથી તે બાબતે મદદ મળી શકે છે. તમે હતાશા, એકલતા, માદક દ્રવ્યોનો દુરુપયોગ, માંદગી, સંબંધોમાં સમસ્યા અને આર્થિક સમસ્યાઓ સહિત વિવિધ પ્રકારના મુદ્દા માટે સલાહ-માર્ગદર્શન હેતુ આ સંસાધનોનો ઉપયોગ કરી શકો છો.

હતાશાના બહોળા પ્રમાણમાં વિવિધ લક્ષણો હોય છે અને દર વર્ષે લાખો લોકો તેનાથી પ્રભાવિત થાય છે. તેના સામાન્ય લક્ષણોમાં ઉદાસી, પ્રવૃત્તિઓમાં રુચિનો અભાવ, ભૂખમાં અને ઉંઘવાની શૈલીમાં ફેરફાર, ઊર્જાનો અભાવ, વિચારવામાં મુશ્કેલી અને સંભવિતપણે આત્મહત્યાના વિચારો શામેલ છે. તમે આવા પ્રકારની વર્તણૂકો દર્શાવી શકો છો અથવા તે ગૂઢ હોઈ શકે છે. કોઈપણ રીતે, તેમને અવગણશો નહીં.

 

આ લેખને શેર કરો